અક્ષયનીતિ સુત્રો અધ્યાય :૧
અક્ષયનીતિસૂત્રો: નીતિ નો સ્વભાવિક અર્થ "એવા માર્ગદર્શક સિદ્ધાંત છે, જેના થી ઇચ્છિત ધ્યેય સિદ્ધ થાય છે." નીતિ શાસ્ત્ર ના પ્રાચીન આચાર્યો માં મનુ, શુક્રાચાર્ય, બૃહસ્પતિ , વિદુર, કનીક , સંજય, કામન્દક , ચાણક્ય, ભર્તૃહરિ વગેરે નામ પ્રચલિત છે. આ સર્વ આચાર્યો ને નમન કરીને આ અધ્યાય નો આરંભ થાય છે. સર્વ ના હિત અર્થે કરેલું ચિંતન એ સર્વ માટે માર્ગદર્શન પૂરું પાડે એ હેતુ થી ચિંતકો દ્વારા ગ્રંથ રૂપે પેઢીઓ સુધી પહોંચાડવા માં આવે છે. અક્ષયનીતિ સૂત્ર એ એક કાલ્પનિક વિચાર છે... આ વિચાર માં "કુદરત" એટલે કે "પ્રકૃતિ" ને નીતિશાસ્ત્ર ના આચાર્ય કલ્પવામાં આવ્યા છે. કુદરત સ્વયં માનવજાત ને કેટલાક અક્ષય નીતિ સુત્રો કહે છે.. હવે કુદરત કહે છે એટલે એ કોઈ પણ સમય ના મનુષ્ય માટે દરેક કાળ માં યોગ્ય રહેશે. દરેક ભાગ માં બે સૂત્ર ભાવાર્થ સાથે મૂકીશ. કુદરત ની પ્રેરણા ,પ્રેમ, પ્રજ્ઞા થી આ લેખ માળા પ્રગતિ પામે એ રીતે આ સૂત્રો ને સિરીઝ ના ફોર્મેટ માં લખ્યા છે. કુદરત ઉવાચ: સૂત્ર : ૧ જન્મ થી મૃત્યુ વચ્ચે નો સમય જીવન છે, જીવન કુદરતી વૃત્તિઓથી પોષિત થાય છ...