Chankya Neeti Sutra

ચાણક્ય નીતિ સુવાક્યો જ્યાં આદર સન્માન ના હોય, જ્યાં કમાણીનું સાધન ના મળે ત્યાં રહેવું નહિ. ભવિષ્યની આપત્તિથી બચવા માટે ધનની બચત કરવી જોઈએ. કામ સોંપો ત્યારે નોકરની, દુઃખમાં ભાઈ તથા મિત્રની અને ધન નાશ પામે ત્યારે પત્નીની સાચી ઓળખ થાય છે. જે નિશ્વિતને છોડી, અનિશ્ચિત ની પાછળ દોડે છે, તે નાશ પામે છે. નીચ વ્યક્તિ પાસે પણ કોઈ સારો ગુણ વિદ્યા હોય તો શીખી લેવામાં નાનમ ન રાખવી. મીઠી મીઠી વાતો કરે, પણ પાછળ કામ બગાડે તે મિત્રનો ત્યાગ કરવો. મનમાં વિચારેલી વાતને જાહેર કરવાને બદલે તેને કાર્યાન્વિત કરવી. જેમ બધા પર્વતો પર રત્નો નથી મળતાં, તેમ બધાં સ્થાને સજ્જનો નથી મળતાં. ખરાબ ચારિત્ર્યવાળા તથા વિના કારણ હાનિ પહોંચાડનારા સાથે મિત્રતા કરશો તો નાશ પામશો. મનુષ્યના વહેવારથી તેના કુળનો પરિચય મળી જાય છે. દુષ્ટ વ્યક્તિ અને સાપ એ બન્નેમાં સાપ વધુ સારો છે, કારણકે તે એક જ વાર કરડે છે. વિદ્યા વગરનો માણસ હંમેશા ઉપેક્ષિત રહે છે. પુરુષાર્થ કરવાવાળો કદાપિ ગરીબ રહેતો નથી. જેમ એક સુગંધિત વૃક્ષ આખા બગીચામાં ફોરમ ફેલાવે ...