Posts

Showing posts from June, 2018

Chankya Neeti Sutra

Image
                   ચાણક્ય નીતિ સુવાક્યો જ્યાં આદર સન્માન ના હોય, જ્યાં કમાણીનું સાધન ના મળે ત્યાં રહેવું નહિ. ભવિષ્યની આપત્તિથી બચવા માટે ધનની બચત કરવી જોઈએ. કામ સોંપો ત્યારે નોકરની, દુઃખમાં ભાઈ તથા મિત્રની અને ધન નાશ પામે ત્યારે પત્નીની સાચી ઓળખ થાય છે. જે નિશ્વિતને છોડી, અનિશ્ચિત ની પાછળ દોડે છે, તે નાશ પામે છે. નીચ વ્યક્તિ પાસે પણ કોઈ સારો ગુણ વિદ્યા હોય તો શીખી લેવામાં નાનમ ન રાખવી. મીઠી મીઠી વાતો કરે, પણ પાછળ કામ બગાડે તે મિત્રનો ત્યાગ કરવો. મનમાં વિચારેલી વાતને જાહેર કરવાને બદલે તેને કાર્યાન્વિત કરવી. જેમ બધા પર્વતો પર રત્નો નથી મળતાં, તેમ બધાં સ્થાને સજ્જનો નથી મળતાં. ખરાબ ચારિત્ર્યવાળા તથા વિના કારણ હાનિ પહોંચાડનારા સાથે મિત્રતા કરશો તો નાશ પામશો. મનુષ્યના વહેવારથી તેના કુળનો પરિચય મળી જાય છે. દુષ્ટ વ્યક્તિ અને સાપ એ બન્નેમાં સાપ વધુ સારો છે, કારણકે તે એક જ વાર કરડે છે. વિદ્યા વગરનો માણસ હંમેશા ઉપેક્ષિત રહે છે. પુરુષાર્થ કરવાવાળો કદાપિ ગરીબ રહેતો નથી. જેમ એક સુગંધિત વૃક્ષ આખા બગીચામાં ફોરમ ફેલાવે ...

ઘર માં વસાવવા લાયક પુસ્તકો ની યાદી

Image
                                                         વાંચકમિત્રો ,પુસ્તકો થી વધારે સાથે રહેનારો સારો મિત્ર કયો..? પુસ્તકો ક્યારેય માણસને એકલવાયું લાગવા દેતા નથી.. આ સુવાક્ય ઘણા સારા છે.. " જો દુનિયામાં કોઈ સાચું સ્વર્ગ હોય તો એ પુસ્તકાલય માં છે... જો તમને સાચું શિક્ષણ જોઈતું હોય તો બે કામ કરો. 1. દુનિયા ફરો... 2. લાઈબ્રેરી માં જાવ... ફિલ્મો,ડોક્યુમેન્ટરીસ , સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ.. જ્ઞાન અને માહિતીના સ્ત્રોત ખરા.. પણ હાર્ડ કોપી પુસ્તકો નું મહત્વ ઓછું નથી .. ઇ કોપીસ અને સોફ્ટવેરસ પણ ખૂબ પ્રચલિત છે...... મારે વાત કરવી છે કેટલાક પુસ્તકોની જે દરેક વ્યક્તિ એ ઘરમાં વસાવવા જ જોઈએ... : અધ્યાત્મ.. (spirituality) (1) શ્રીમદ ભગવદ્દગીતા, બાઇબલ ,કુરાન.. વગેરે વિશ્વ સમ્માનનીય ..ધર્મગ્રંથો..(pdf available) (2) શ્રી અષ્ટાવક્ર ગીતા (pdf available) (3) મહાત્મા ગાંધીજીએ લખેલ પુસ્તકો (pdf available) 1. પ્રાર્થના 2. રામનામ વિશે અનુભ...